4-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા કચ્છ :- આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જીલ્લા ના મુંદરા તાલુકા ના લાખાપર ગામ મધ્યે પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ બાપટ ની અધ્યક્ષતા માં તિરંગા સભા રાષ્ટ્રગીત સાથે શરૂ કરવા માં આવેલ આ તિરંગા સભા પશ્ચિમ કચ્છ જીલ્લા મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી અને તાલુકા મંત્રી પ્રભાતસિંહ જાડેજા દ્વારા આયોજિત કરવા માં આવી હતી મુંદરા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, મુંદરા શહેર પ્રમુખ ભરતભાઇ ધેડા,પ્રશાંતભાઈ રાજગોર,રમેશભાઈ મહેશ્વરી સહિત ના હોદેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ભાજપ ના કાર્યકર્તાઓ રણછોડજી.ડી જાડેજા,દેવેન્દ્રસિંહ.એમ મોખા, પ્રવીણભાઈ ઠાકર,ખેતસી એમ મહેશ્વરી,વર્યા અબ્દુલ સતાર,પૃથ્વીસિંહ મોખા,મોસીન ખલીફા,નિલેશ મેઘજી ધેડા,કરણસિંહ જાડેજા,કરણસિંહ સોઢા,મનોજ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજાએ ઈમાનદાર આમ આદમી પાર્ટી નો ખેસ પહેરી પરિવર્તન ની લડાઈ માં સહભાગી થવા આવનાર પેઢી ને જવાબ આપી શકાય એ માટે આમ આદમી માં જોડાયા હતા લાખાપર ગામ માં 1 થી 8 ધોરણ ભણાવવા 4 શિક્ષકો જ હોવાની તેમજ ગામ માં જાહેર સોચાલય અને આસપાસ આવેલી કંપનીઓ સ્થાનિકો ને રોજગાર ન આપતી હોવાની રજુઆત કરી હતી આ તમામ પ્રશ્નો નો ના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી લાખાપર વાસીઓ સાથે રહેવાની ખાતરી આપી હતી.