તા.૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુર ના મંડલીકપુરથી જેતલસર જવાના ખેડૂતો માટે કરોડો રૂપિયા નાં ખર્ચે બનાવામાં આવેલ ખેડૂત પથ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેને લય ને જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશભાઈ રાદડિયા એ પત્ર લખી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા હતા તાલુકા પંચાયત સદસ્યએ પોતાના વિસ્તારમાં આવેલ મંડલિકપુર થી જેતલસર તરફ જતો 3 કિલોમીટર નો ખેડૂત પથ રોડમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલીને વિરોધ નોંધાવ્યો હતો અને દોઢ વર્ષમાં બનાવેલા રોડમા મસમોટા ખાડાનાં કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે
પંચાયત માર્ગ અને મકાન વિભાગના જેતપુરના નાયબ કાર્યપાલક ઈજનેર વત્સલ પટેલ કોન્ટ્રાકટરોને નબળા રોડ બાબતે છાવરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવયો હતો નાયબ કાર્યપાલક ઇજનેર મોટી રિશ્વત લઈ કામ કરતા હોય તેવા પણ પત્ર માં આક્ષેપો કરવામાં આવી યા હતા ત્યારે જેતપુરમાં ખુદ ભાજપના સતાપક્ષના સદસ્યએ ને વારંવાર પત્ર લખી રજૂઆતો કરવી પડતી હોઈ તો આમ નાગરિકનું શું ત્યારે પત્ર કાર્યપાલક ઇજનેર રાજકોટ તેમજ મુખ્ય મંત્રી માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર અન્ય અધિકારી ઓને પત્ર લખતાની સાથે જ અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટર ને સાથે રાખી સ્થળ તપાસ કરી સત્વરે કાર્યવાહીની ખાતરી આપી હતી
નાયબ કાર્યપાલક ઇજનેર ભ્રષ્ટાચાર કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે છાવરી રહ્યાના સદસ્ય દ્વારા આક્ષેપો તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા કરવામાં આવીયા હતા અને આગામી સાત દિવસ માં જૉ રોડ નિયમ મુજબ નહીં બનાવવા માં આવે તો મંડલીક પૂર જેતલસર ના તમામ ખેડૂતો ને સાથે રાખી આંદોલન કરવાની તાલુકા પંચાયત સદસ્ય જીગ્નેશ રાદડિયા એ ચીમકી આપી હતી ત્યારે કહી શકાય કે ભાજપ ના સદસ્ય એ ભ્રસ્ટાચાર બાબતે પત્ર લખતા અત્યારે જેતપુર માં ચર્ચા નો વિસય બનિયો છે
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.