GIR SOMNATHSUTRAPADA

Talala : વેરાવળ તાલાળા નાકા માં આવેલ હાર્ડી સમાજ વિસ્તારમાં લોક સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર

ગીર સોમનાથ

વેરાવળ અતીપછાત હા સમાજ વિસ્તારમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના સુચના મુજબ વિસ્તારમાં રહેતા અને નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોમાં સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃતિ આવે અને સામાન્ય માણસ યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકે તે બાબતે લોક સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની સુચના અનુસાર ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વેરાવળ શહેર તાલાળા નાકા પાસે આવેલ સમસ્ત હાડી સમાજની સેવાવસ્તીમાં વસ્તી સંપર્ક અભિયાન કાર્યક્રમ તેમજ પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમમાં હાડી સમાજના આગેવાન તેમજ સમાજના ગરીબ વર્ગના લોકોને ગુજરાત રાજ્યની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપેલ અને સરકાર ની યોજના કેવી રીતે મળે તેની માહિતી આપેલ અને સમાજના પ્રબુદ્ધ નાગરિકને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ની પંચ તીર્થ પ્રતિમા આપી પંચ તીર્થ વિશે માહિતગાર કરેલ આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ માનસિંહભાઈ પરમાર ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના આમંત્રિત સભ્ય અને વેરાવળ સમસ્ત હાડી સમાજના અધ્યક્ષ અમૃતાબેન અખિયા ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કાંતિલાલ ચુડાસમા હાડી સમાજના પ્રમુખ કાનજીભાઈ ચાવડા સમાજના ઉપપટેલ જીવનભાઈ ચાવડા સમાજના ઉપપ્રમુખ રામજીભાઈ ચુડાસમા સમાજના પૂર્વ પટેલ વિરેનભાઈ ચુડાસમા દિનેશભાઈ ચાવડા અને સમાજના આગેવાનો એ મોટી સંખ્યા મા હાજરી આપેલ અને કાર્યકર્મને સફળ બનાવેલ .

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!