NAVSARI

નવસારીના દાંડી ગામના બસ સ્ટેશન તથા જાહેર સ્થળો પર ગ્રામજનો દ્વારા સાફ સફાઇ કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  આ અભિયાનમાં નવસારી જિલ્લાના ગ્રામજનોની જન ભાગીદારી થકી વધુ વ્યાપક અને અસરકારક બન્યું છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારી  જિલ્લામાં જલાલપોર તાલુકાના દાંડી ગામના બસ ડેપો ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાંડી ગામના જાહેર સ્થળો પર  પણ ગ્રામજનો દ્વારા ઉત્સાહભરે સહભાગી થઈને સ્વચ્છતા ઝુંબેશને  વેગવંતી બનાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!