CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં શક્તિ પર્વ અંતર્ગત રાસ ગરબાની રમઝટ જામશે.

તા.19/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજે છઠ્ઠા નોરતે ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે રાત્રે કલાકેથી નવરાત્રી શક્તિ પર્વ ઉજવાશે.

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો આરંભ થતાની સાથે જ લોકોમા નવદુર્ગાની આરાધનામાં લીન થઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવરાત્રી પર્વમાં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીના ભાગ રૂપે તા.૨૦ ઓકટોબરને છઠ્ઠા નોરતે શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે રાત્રે ૮:૦૦ કલાકે નવરાત્રી શક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર ફરીદાબેન મીર અને આર. ડી.પરમાર દ્વારા ગરબાઓ રજૂ કરાશે આ કાર્યક્રમમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જિલ્લાના તમામ લોકોને તથા ખેલૈયાઓને આ પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!