આણંદ જિલ્લા આર. સી. મિશન શાળા ખાતે શિક્ષક સેમીનાર યોજાયો
તાહિર મેમણ : આણંદ – તારીખ 16 ડિસેમ્બર 2023 : અમદાવાદ ધર્મ પ્રાંત આર. સી. મિશન શાળા ખેડા, આણંદ જિલ્લાના સુપરવાઇઝર રેવ. પૂજ્ય ફાધર અરસ કુમાર દ્વારા એક દિવસ નો શિક્ષક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ દિપ પ્રાગટ્ય મહેમાન પરિચય ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સન્માન કરાવવામાં આવ્યું સ્થળ સેન્ટ જોસેફ શાળા લોટીયા ભાગોળ આણંદ ના મેનેજર શ્રી રેવ. ફાધર ઝેવિયર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સેશન ડૉ. ફાધર અરસ કુમાર દ્વારા બીજુ સેશન રેવ. ફાધર જરાલ્ડ દ્વારા 10:00 વાગે નાસ્તા માટે રિશેષ આપવામાં આવી હતી. બાર વાગ્યા સુધી સેમિનાર ચાલ્યો હતો. ઉપસ્થિત દરેક શિક્ષક મિત્રોનો આચાર્યશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રાર્થના બાદ દરેક શિક્ષક મિત્રો છૂટા પડ્યા. બાળ લક્ષી સેમિનાર વર્ગ ખંડમાં ઉપયોગી બની રહેશે.