તા.૧૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્રારા જસદણ તાલુકાના બળધોઈ ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘરઆંગણે લાભ આપવા રથ આવી પહોંચતા લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, સાથે વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય કેમ્પમાં આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ડ્રોન તથા સોઈલ હેલ્થ કાર્ડ અંગે પ્રદર્શન યોજાયું હતું. વિધવા સહાય, ઉજવલા યોજના સહિતના લાભાર્થીઓને કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં સરપંચશ્રી સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.