અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટાભાઈ એ અગમ્ય કારણોસર બંદૂકથી પોતાને જ ગોળી મારીને આપધાત કર્યો
અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના લાલસિંહ ચૌહાણના મોટાભાઈએ અગમ્ય કારણોસર બંદૂકથી ખુદને ગોળી મારીને આપધાત કર્યો ની ઘટના સામે આવતા હાલ તો પંથક માં ચકચાર જોવા મળ્યો હતો જેમાં ભિલોડા ખાતે પવન મસાલા-ગિલોડા ભિલોડા માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનમાં આપધાત કર્યો ની ઘટના સામે આવી હતી તેઓની પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારીને આપધાત કર્યો હતો ઘટના ની જાણ થતા ભિલોડા પોલિસ ઘટના સ્થળે પોહચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસે ભિલોડા તાલુકાના મલાસા ગામના સામાજીક આગેવાન વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણનો મૃતદેહ કોટેજ ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો ભિલોડા માર્કેટિંગ યાર્ડમાં ઘટના સ્થળ પર અને કોટેઝ હોસ્પિટલમાં સગાં-સબંધીઓ સહિત લોકોના ટોંળે-ટોંળા એકત્રિત થઈ ગયા હતા.લોકમુખે અવનવી ચર્ચાઓ સાંભળવા મળી હતી જેમાં હાલત તો આર્થિક સંક્ર્મણ ને કારણે આ પગલું ભર્યું હોય તેવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે વધુમાં આત્મ હત્યાં પહેલા પોતાનો જ વિડિઓ હાલ તો સામે આવ્યો છે અને પોતાની આપવીતી આ વિડિઓ માં કહી રહ્યા છે જેમાં ભિલોડા માર્કેટયાર્ડમાં વેપારીનો આપઘાત પહેલા હસતા મુખે કહ્યું, સમય કોઈની રાહ જોતો નથી,બીજા જન્મમાં શ્યોર મળીશું ના અંતિમ શબ્દોનો વિડીયો વાયરલ, છે આર્થિક સંક્રામણની આશંકા જી.પં પૂર્વ પ્રમુખ લાલસિંહ ચૌહાણનુ નિવેદન પણ સામે આવ્યું છે ખરેખર હકીકત શું છે એતો હવે પોલિસ તપાસ બાદ જ બહાર આવશે