GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ સ્નેહપૂર્વક સ્વાગત કર્યું

તા.૨૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સોઇલ હેલ્થ કાર્ડનું નિદર્શન કરાયું અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો

Rajkot: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ૧૬૦થી વધુ ગ્રામજનોએ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો તેમજ સરકારશ્રીની આઈ.સી.ડી.એસ., આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ, ટ્રેકટર સહાય યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.

શીશક ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. ૧૦૦ ટકા જન ધન યોજના સંતૃપ્ત થયેલ તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં શીશક ગામના સરપંચશ્રી અનિલભાઈ અકબરી, ગ્રામ પંચાયતના સભ્યશ્રી મુકેશભાઈ કાનાણી, શ્રી મહેશભાઈ રાઠોડ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હિમાંશુ પરમાર, તલાટી કમ મંત્રીશ્રી હરેશભાઈ મુંધવા, આંગણવાડી કાર્યકરશ્રી હિનાબેન ગોસ્વામી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!