NATIONAL

સરકારે 196 જેટલા રોગની સારવાર આયુષ્યમાન કાર્ડમાથી હટાવી લીધી

લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો સુધીના દરેકને 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા લાભો મેળવવાની તક મળે છે. સરકારે તાજેતરમાં એક યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ કઇ બીમારીઓ આવરી લેવામાં નથી આવતી તે જાણીએ.

આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો સાથે, હવે આ યોજના હેઠળ 1760 રોગોની સારવાર થતી. પરંતુ નવા નિર્ણય સાથે સરકારે આમાંથી મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી, નસબંધી અને ગેંગરીન જેવા 196 રોગોને આ લીસ્ટમાંથી હટાવી દીધા છે. જેની લોકો પર ઊંડી અસર પડી છે. મતલબ કે હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, જેના કારણે ઘણા લોકોની પ્રાથમિકતા વધી ગઈ છે. પહેલા ઘણા લોકો ખાનગી હોસ્પિટલોમાં જતા હતા કારણ કે ત્યાં સુવિધાઓ વધુ હતી, પરંતુ આ નિર્ણયથી તેમને સરકારી હોસ્પિટલો તરફ વળવાની ફરજ પડી રહી છે.

આર્થિક રીતે નબળા અને ગરીબ નાગરિકો માટે બનેલી આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. PM-JAY યોજના ચલાવતા રાજ્યોમાં, તેનો લાભ મેળવનાર લોકોની પસંદગી પ્રક્રિયા SECC 2011ના આધારે કરવામાં આવે છે. તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે તમે આ યોજનાના લાભાર્થી છો કે નહીં.

યોજના માટે પાત્રતા કેમ ચકાસવી?

  • તમારે નજીકના અટલ સેવા કેન્દ્ર અથવા જન સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે, અથવા તમે PMJAY ની https://pmjay.gov.in/ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો
  • ત્યાં તમારે ‘Am I Eligible’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ, તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને OTP જનરેટ કરવો પડશે
  • હવે, તમે તમારું રાજ્ય, નામ, ફોન નંબર અને રેશન કાર્ડ નંબર એન્ટર કરીને તમારી યોજના માટેની પાત્રતા ચકાસી શકો છો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!