મહીસાગર જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા ‘ કાર્યક્રમ કિસાન માધ્યમિક વિધ્યાલય લુણાવાડા ખાતે વડાપ્રધાનનો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે લાઇવ સંવાદ કર્યો. બોર્ડ પરીક્ષાને કેવી રીતે તણાવ મુક્ત કરી શકાય એ સહિત પુછાયેલા વિવિધ સવાલોના પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં જવાબ આપી વિદ્યાર્થીઓ શિક્ષકોને જીવનના પાઠ શીખવ્યા. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કિસાન માધ્યમિક વિધ્યાલય લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાનને જીવંત કાર્યક્રમ નિહાળ્યો.
જેમાં આગામી માર્ચ 2024 માં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે, તેમનામાં આત્મવિશ્વાસ જળવાઈ રહે અને એક સકારાત્મક માનસિકતા સાથે પરીક્ષા આપે તે હેતુસર પરીક્ષા પે ચર્ચા-2024 નો કાર્યક્રમ યોજાયો હતો.