GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરી ખાતે વકીલ સોસાયટીમાં ગટરના પાણીને લઈને રજૂઆત કરાઈ

તા.21/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના જુનો વૉર્ડ નંબર ચારની વકીલ સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો નિકાલ જ નથી જે બાબત ત્યાંના સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં કાયમી નિકાલ આવતો ન હતો જે બાબતે આજે હાઈ કોર્ટના વકીલ કલ્પેશભાઈ દવે દ્વારા કમિશનરને અમારી ટીમને સાથે રાખી રજૂઆત કરી હતી અને આ બાબત સાત દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેવોને કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી તેમણે મહાનગર પાલિકાના કમિશનરને અમારી હાજરી માં લેખીત જાણ કરી જેના જવાબમાં મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાલ મશીનરી ફ્રી ન હોય એક અઠવાડિયામાં કામગીરી ચાલુ કરવી દઈશ અને બીજા 10 દીવસની આજુ બાજુમાં કામગીરી પૂર્ણ કરાવી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી આપવાની ખાતરી આપી હતી.




