રાજપીપળાના નગરજનો માટે નવો ઓવારો ખુલ્લો મુકાયો અન્ય પાંચ પ્રોજેક્ટના લોકર્પણો અને બે ના ખાતમુહૂર્ત
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેરની શાન અને એક પ્રવાસન સ્થળ ગણાતો ૧૦૦ વર્ષ જૂનો ઓવારો જર્જરિત થઇ જતાં પાલિકા દ્વારા નવા રૂપ રંગ સાથે કરજણ ઓવારો બનાવવામાં આવ્યો છે જેનું જન્માષ્ટમીના પર્વે લોકાર્પણ કરી પાલિકાએ નગરજનો ને ભેટ આપી છે આ સાથે, રાશિ નક્ષત્ર ગાર્ડન, ટેનિસ કોર્ટ, મચ્છી માર્કેટ, ફિલ્ટર પ્લાન્ટ, સહિત વિકાસનાં કામોનું સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું થયા, અને કરમાઈકલ પુલ અને ભૂગર્ભ ગટરના ઘરેલુ જોડાણના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમ માં સાંસદ મનસુખ વસાવા , નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ,ભાજપ મહામંત્રી નીલ રાવ, સીધેસ્વર સ્વામીજી ,પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, મહારાજા રઘુવીરસિંહ તથા મહારાણી રુકમણી દેવી, સુરત સહેરી વિકાસ કમિશનર ડી. ડી કાપડિયા ભાજપા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ,મુખ્ય અધિકારી રાહુલદેવ વી.ઢોળીયા સહિત પાલિકા સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.