RAMESH SAVANI

નકલી ‘પતંજલિ દ્રષ્ટિ આઈ ડ્રોપે’ ભક્તોની અસલી દ્રષ્ટિ છીનવી લીધી છે !

બાબા રામદેવ ભગવા કપડાં પહેરે છે એટલે આપણે તેને સન્માનની દ્રષ્ટિએ જોઈએ છીએ; પરંતુ રામદેવ લોકોને ઠગવાનું કામ છોડી શકતા નથી ! ભ્રામક દાવાઓ કરીને, આયુર્વેદના નામે મોટું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું છે. સંન્યાસીને ધનનો મોહ ન હોય પરંતુ રામદેવને ધનનો એટલો મોહ છે જેટલો આતંકવાદીઓને હિંસા પ્રત્યે હોય !
અમેરિકામાં વસતા એક ગુજરાતી ઉદ્યોગપતિને ત્યાં બાબા રામદેવ રોકાયા હતા, તેમનો વિશાળ બંગલો જોઈને રામદેવે 15,000 ડોલર (રુપિયા 12,45,000) ડોનેશન લઈ તેમને પતંજલિ આશ્રમના ફાઉન્ડર મેમ્બર બનાવ્યા. જાન્યુઆરી 2024માં આ ગુજરાતી દાતા પોતાની પીઠના દુખાવાની સારવાર માટે હરિદ્વાર રામદેવના આશ્રમમાં ગયા. 10 દિવસ રોકાયા. જાતજાતના ઓસડિયાં આપ્યા. જાત જાતના મસાજ થયા પણ પીઠનો દુખાવો દૂર ન થયો ! કુલ બિલ 1,50,000/- ચૂકવવું પડ્યું ! મેં આ દાતાને પૂછ્યું : “તમે તો બાબા રામદેવના આશ્રમના ફાઉન્ડર મેમ્બર છો, છતાં તમારી પાસે 10 દિવસના દોઢ લાખ વસૂલ્યા?” દાતાનો જવાબ હતો : “રામદેવ ચીટર છે !”
ઉત્તરાખંડ સરકારે 29 એપ્રિલ 2024ના રોજ, Patanjali Ayurveda Limited સામે સખ્ત કાર્યવાહી કરી છે. શુગર/ હાઈ બીપી/ ખાંસી/ થાઈરોડ/ હાઈ કોલોસ્ટ્રોલ વગેરે બિમારી માટેની 14 દવાઓના ઉત્પાદન લાયસન્સ રદ કર્યા છે ! બીજી તરફ, Drugs and Magic Remedies Actના ઉલ્લંઘન માટે/ ભ્રામક દાવાઓ માટે સુપ્રિમકોર્ટે પતંજલિ/ રામદેવ ફરતે ગાળિયો ભીડ્યો છે ! 29 એપ્રિલ 2024ના રોજ ઉત્તરાખંડ સરકારે સુપ્રિમકોર્ટમાં એફિડેવિટ કરીને 14 દવાઓના ઉત્પાદન લાયસન્સ રદ કર્યાની માહિતી આપી હતી ! વાસ્તવમાં સુપ્રિમકોર્ટના ડરને કારણે ઉત્તરાખંડ સરકારે ભ્રામક વિજ્ઞાપનોના કારણે આ પગલું લીધું છે ! પ્રતિબંધિત 14 દવાઓ છે : શ્વાસારી ગોલ્ડ/ શ્વાસારી વટી/ શ્વાસારી પ્રવાહી/ શ્વાસારી અવલેહ/ બ્રોંકોમ/ મુક્તા વટી એક્સ્ટ્રા પાવર/ લિપિડોમ/ બીપી ગ્રિટ/ મધુગ્રિટ/ મધુનાશિની વટી/ લિવામૃત એડવાન્સ/ લિવોગ્રિટ/ આઈગ્રિટ ગોલ્ડ/ પતંજલિ દ્રષ્ટિ આઈ ડ્રોપ ! જે લોકો આ દવાઓ ગ્રહણ કરતા હોય તેમણે ચેતવાની જરુર છે !
ઉપરાંત GST ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટે 27.46 કરોડ રુપિયા ઈનપુટ ટેક્સ ક્રેડિટ પેટે કેમ વસૂલવા નહીં? તે બાબતે ‘પતંજલિ ફૂડ’ને શો-કોઝ નોટિસ ઈસ્યુ કરેલ છે !
બાબા રામદેવ; ભગવા કપડાં હેઠળ/ સત્તાપક્ષની ચાપલૂસી હેઠળ આયુર્વેદના નામે કરોડો રુપિયાનો ધંધો કરે છે ! આશારામ પણ દવાઓ વેચતો ! બાબા/ શ્રી શ્રી/ સદગુરુ/ સ્વામિ હોય એટલે આયુર્વેદના નામે ધંધો કરે જ ! ભક્તો છેતરાઈ છે, છતાં ધન્યતા અનુભવે છે ! નકલી ‘પતંજલિ દ્રષ્ટિ આઈ ડ્રોપે’ ભક્તોની અસલી દ્રષ્ટિ છીનવી લીધી છે ! rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય/ Mir Suhail]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!