NARMADATILAKWADA

તિલકવાડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને અલીરાજપુર ખાતેથી ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

તિલકવાડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને અલીરાજપુર ખાતેથી ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા વિજયસિંહ ગુર્જર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સપેક્ટર એ જી ખોથ તથા પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં નીકળ્યા હોય દરમિયાન તેઓને બાતમી મળેલ કે તિલકવાડા પોલીસ મથકે તારીખ 26/08/2022 ના રોજ નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તો ફરતો આરોપી સજ્જનસિંહ ગુલાબસિંહ ચૌહાણ અલીરાજપુર ખાતે છે. જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો મોજે ઇન્દરસિંગ કી ચોકી પુંજારા હોલી ફળિયુ અલીરાજપુર ખાતે પહોંચી સદર આરોપી સજ્જનસિંહ ગુલાબસિંહ ચૌહાણ ને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે આરોપીને તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે…..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!