ઉત્તરપ્રદેશ ના મહંત યતિ નરસિંહાનંદ દ્રારા ઇસ્લામ ધર્મના મહાન પેગંમ્બર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી થી મુસ્લિમ સમાજમાં રોષ..


સમીર પટેલ, ભરૂચ
જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ કરી..
સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશ ના મહંત યતિ નરસિંહાનંદ દ્રારા ઇસ્લામ ધર્મના મહાન પેગંમ્બર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી તથા વાણી વિલાસ કરતા આ મહંત સામે ગુન્હો દાખલ કરી ને જેલના સળીયા પાછળ ધકેલવાની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધેલ અને જિલ્લા કલેકટર ને પાઠવેલા આવેદનપત્ર માં જણાવાયું છે કે લોકોની લાગણી અને માંગણી છે ઉત્તરપ્રદેશનાં મહંત યતિ નરસિંહાનંદ દ્રારા ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી વાણી વિલાસ કરીને સોશીયલ મીડીયા પર વીડીયો વાયરલ કરીને મુસ્લીમ સમાજને લાગણીને ઠેસ પહોંચાડવાનુ કામ આ કરવામાં આવેલુ છે. આ મહંત દ્વારા વારંવાર મુસ્લીમ સમાજની ધાર્મીક લાગણીઓ દુભાઈ તેવા નિવોદનો વખતો વખત કરતા હોય આનાથી દેશની એકતા અને નિવેદનો કરવાથી દેશની છબી ભાઇચારાને ઠેસ પહોંચે છે.આવા બે જવાબદાર વિશ્વના દેશોમાં ખરાબ અસર પડે છે.તેથી મહંત યતિ નરસિંહાનંદ ની સામે દાખલો બેસે તેવી તેની સામે કાનુની કાર્યવાહી કરીને સખતમાં સખત સજા કરવાની માંગ કરવામાં આવી છે… આવેદનપત્ર પાઠવવા માં અબ્દુલ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.




