વિજાપુર આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા 52980 ઘરો માં મેલેરીયા અંતર્ગત સર્વે કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા ડોર ટુ ડોર મચ્છરજન્ય રોગ અટકાયતી કામગીરી સંદર્ભે 52 980 જેટલા ઘરોનો સર્વે હાથ ધરાયો હતો જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના ડો કાપડીયા અને જિલ્લા મેલેરિયા અધિકારી રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિજય જે પટેલ ના વડપણ હેઠળ વિજાપુર તાલુકા ની કુલ 94 આરોગ્ય ટીમો દ્રારા કુલ 264890વસ્તી ધરાવતા તાલુકા માંથી 52980 ધરો માં વરસાદ પડ્યા પછી મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકન ગુનીયા નો અને પાણીજન્ય રોગચાલો ન થાય તે માટે સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં છેલ્લા ચાર દિવસ માં કુલ 113286વસ્તી તેમજ 24130ધરો ના 27951પાત્રો આવરી લેવામાં આવેલ જેમાં કુલ 419 ધરો મા 424 પાણીના પાત્રો તપાસતા લાર્વા જોવા મળ્યા હતા અને કુલ 561તાવના કેસ ની લોહીના નમુના લેવામાં આવ્યા હતા જેના માટે 68 સુપરવાઈઝર દ્રારા કામગીરી નું સુપરવિઝન કરવામાં આવ્યું હતુ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિજય જે પટેલ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમ એમ ચૌહાણ દ્રારા કામગીરી નું મોનીટરીંગ કરી જીલ્લા આરોગ્ય વિભાગને રીપોર્ટ કરી મોકલી આપવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી