BANASKANTHAKANKREJ

ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે મહિલા સંમેલન અને પ્રતિભાશાળી મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે તા.૧૪-૭-૨૪ને રવિવારે થલતેજ અમદાવાદ ખાતે  મહિલા સંમેલન અને પ્રતિભાશાળી મહિલા સન્માન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત ની ૨૫૦થી વધારે બહેનોનું તેમના વિવિધ ક્ષેત્રના યોગદાન બદલ મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ વિકાસના કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયા એ પ્રજાપતિ સમાજની બહેનોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે તે આનંદની વાત છે. ખાસ કરીને મહિલાઓમાં શિક્ષણ અને જાગૃતિ વધી છે. પ્રાચીન કાળથી પ્રજાપતિ સમાજ તેના આતિથ્ય માટે વખણાય છે.અહીં આ સંકુલમાં દીકરીઓ માટે કન્યા છાત્રાલય બની રહ્યું છે તે ખૂબ ઉપયોગી બની રહેશે.આ પ્રસંગે ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કેશવલાલ પ્રજાપતિએ જણાવ્યું કે આપણે આંગણે સમાજની શતાબ્દી નિમિત્તે આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે તે ગૌરવની વાત છે. આપણે ત્યાં શિક્ષણ વધી રહ્યું છે ત્યારે બહેનોને રહેવા માટે કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન કરી તેના નિર્માણની કામગીરીનો પાયો નંખાઈ ગયો છે.સમગ્ર ગુજરાતની ૪૦૦ થી વધારે બહેનો અહીં રહી અભ્યાસ કરી શકશે.આજે સન્માનિત સૌ પ્રતિભાશાળી બહેનો અને ગુજરાત ના ખૂણે  ખૂણેથી બહેનોનું સ્વાગત કરું છે અને અભિનંદન પાઠવું છું
આ પ્રસંગે જાણીતા લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈધે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે પરિવારમાં બહેનોની મહત્ત્વની ભૂમિકા છે. તેમનામાં રહેલો માતૃત્વનો ગુણ પરિવારને આજીવન પલ્લવિત રાખે છે.ભલે આપણે મોડર્ન બનીએ પણ આપણી પરંપરાઓ અને સંસ્કાર ભૂલવા જોઈએ નહીં.આ પ્રસંગે મહિલા કલાસવન અઘિકારીઓ,ડોકટરો,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટટો,કોર્પોરેટરો, નગરસેવકો,વિશેષ સિધ્ધિઓ મેળવનાર પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કેબિનેટ મંત્રી ભાનુબેન,સમારંભના અધ્યક્ષ સવિતાબેન કેશવલાલ પ્રજાપતિ, સમાજના પ્રમુખ કેશવલાલ પ્રજાપતિ,લેખિકા કાજલ ઓઝા વૈદ્ય,સમાજના ઉપપ્રમુખ વસંતભાઈ,ગણેશભાઈ પ્રજાપતિ, કાન્તિભાઈ ઓઝા,મહામંત્રી પ્રો. ભિખુભાઈ પ્રજાપતિ,પ્રજાપતિ સમાજના મહિલા કન્વીનર રંજનબેન વી.પ્રજાપતિના વરદ હસ્તે સહી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રસંગે વર્ષાબેન હારેજા,નિશાબેન પ્રજાપતિ, મિનાક્ષીબેન ઓઝા,અરૂણાબેન ઓઝા સહિત અનેક અગ્રણી બહેનો ઉપસ્થિત રહી હતી.
રંજનબેન પ્રજાપતિએ સમગ્ર ગુજરાતમાંથી પધારેલ બહેનો અને મહેમાનો તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો હતો.રાણીપ મંડળની બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબો રજૂ કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર મહિલા ટીમ તેમજ વિષ્ણુભાઈ ટી. પ્રજાપતિ (મહેસાણા),પ્રો. જયંતીભાઈ પ્રજાપતિ (તંત્રી), સુમનભાઈ પ્રજાપતિ,ભક્તિભાઈ પ્રજાપતિ (મંત્રી) મધુકાન્ત પ્રજાપતિ,વિઠ્ઠલભાઈ તથા સૌ હોદેદારો તેમજ  કારોબારી સભ્યોએ અથાગ પરિશ્રમ કર્યો હતો.આ પ્રસંગે અખિલ ભારતીય પોલિટિકલ ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પ્રજાપતિ ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ અજીતભાઈ પ્રજાપતિ,પૂર્વ  કોર્પોરેટર અને સામાજિક રાજકીય અગ્રણી ધનજીભાઈ પ્રજાપતિ,સમાજના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ,રાજકોટથી મોહનભાઈ વાડોલિયા, ગોરધનભાઈ કાપડિયા સહિત સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!