GUJARATJUNAGADH

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસ ” નિમિતે ચકલી ના માળા નુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસ " નિમિતે ચકલી ના માળા નુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

જૂનાગઢ આમજનતા લાભ લીધો હતો. લોકો મા પક્ષીઓ અને ખાસ કરી ને ચકલી જે હાલ લુપ્ત થવા ને આરે છે તેના વિશે જાગૃતતા કેળવી શકાય.તેવા હેતુ થી ચકલી ના માળા નું વિતરણ કરવા માં આવ્યું સાથે જુદીજુદી શાળાઓ માં નિબંધ,ચિત્ર, વકૃત્વ, ફિલ્મ શો ,નું પણ આયોજન કરવા માં આવ્યું હતું .સવારે ૯:૦૦ વાગ્યા થી ૧:૦૦ લોક વિજ્ઞાન કેન્દ્ર ની ઓફીસ ખાતે માળાઓ નું વિતરણ કાર્યક્રમ રાખવા આવેલ હતું સાથે જણાવવા માં આવેલ માત્ર માળાઓ લઈ અને લગાવવા ના નહિ પરંતુ ત્યાં લગાવી અને ચકલી માળો કરે તેની સેલ્ફી લઈ અને પરત મોકલશો તેવી સૂચનો પણ કરવા માં આવેલ છે અને દરેક પોતાની ફરજ ના ભાગ રૂપે આ વાત ને સ્વીકાર પણ કરી જે એક આનંદ ની વાત છે આજના આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પૂજ્ય શ્રી મુકુંતાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઈ સાહેબ ના માર્ગદર્શન દ્વારા દરેક આ બાબતે જાગૃત થાય તેવી અપીલ પણ કરવા માં આવી છે તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા ની અખબારી યાદી માં જણાવવામા આવેલ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!