તા.૬/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સ્પર્ધામાં ભાગ લેવા નિયત નમુનાનું પ્રવેશપત્ર ૧૫ જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાનું રહેશે
Rajkot: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ અને બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૭/ર, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી મેળવી તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૧-૨૪૪૨૩૬૨ પર સંપર્ક કરી શકાશે, તેમ રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.પી.જાડેજાની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.