KALOL(Panchamahal)PANCHMAHAL

દોલતપુરા ગામે પુરઝડપે મોટરસાયકલ હંકારતા યુવાન નું નીલગીરી સાથે અથડાતા સારવાર દરમિયાન મોત

તારીખ ૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના દોલતપૂરા ગામના ગત તા ૦૬/૦૪ નાં રોજ બપોરના ત્રણ કલાકે અલીન્દ્રા ગામ નજીક સિંગલ પટ્ટી કાચા રોડ ઉપર પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા રોડ ની સાઈડમાં આવેલી નીલગીરી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા મોટરસાયકલ ચાલક સુનીલસિંહ કિશનભાઇ રાઠોડ ને માથામાં, પગો માં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓનુ સારવાર દરમ્યાન મોત નિપજતાં કાલોલ પોલીસ મથકે નાગરભાઈ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ જે ડી તરાલે હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!