તા.૨૭/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચોમાસુ મગફળીના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા જાળવવા અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. જેમાં મગફળીના પાકમાં સુયા બેસવા, ડોડવા બંધાવવા અને પરિપક્વ અવસ્થામાં હોય અને પાનના ટપકામાં નિંદામણ સફેદ ફૂગ જેવી સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકોસ્પોરાફૂગનો પાનના ટપકાંનો રોગ લાગે નહિ તે માટે ટેબ્યુંકોનાઝોલ ૧૮.૩ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મગફળીમાં નિંદામણ કરવું. મગફળીમાં સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડર્મા ફૂગ ૨.૫ કી.ગ્રા./હે. મુજબ ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. મિશ્ર કરીને જમીનમાં આપવું. જેનાથી પાક રોગમુક્ત રહી શકશે.