નવસારીના NRI એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને નિહાળી ઘર આંગણે મળતી તમામ સુવિધાઓ અંગેની સરકારની પહેલને બિરદાવી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીના એન.આર.આઈ ભરતભાઈ પટેલ આ શિયાળામાં વૈશ્વિક ગુજરાતી ગુજરાતના વાર્ષિક પ્રવાસે છે. તેઓ એંઘલ ગામેં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મુકાયેલા સ્ટોલની મુલાકાત લીધી હતી સમગ્ર યાત્રાની વ્યવસ્થા તેમને બહુજ ગમી હતી તેઓ વિકસિત યાત્રા અંગે પોતાનું મંતવ્ય શેર કર્યું હતું
આ યાત્રા લોકો માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખરેખર એક સારું પ્લેટફોર્મ છે અને સરકાર માટે પણ લાભાર્થીઓના ઘરઆંગણે જાહેર સેવાઓ પૂરી પાડવાની સિદ્ધિ છે. તેમણે સરકારની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે લોકો આરોગ્ય, ખેતી, રહેઠાણ, બેંકિંગ, રોજગાર, રાંધણ ગેસ, મહિલા અને બાળ કલ્યાણ, પશુપાલન સંબંધિત સેવાઓ સરળતાથી મેળવી રહ્યાં છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. બધા પર 2/6 એક જગ્યાએ ઝંઝટ વગર ચિંતા મુક્ત અને તદ્દન મફત , કુમકુમ તિલક, સાંસ્કૃતિક ગીતો અને સ્થાનિક નૃત્યો સાથે ભવ્ય સ્વાગત વચ્ચે વિકસીત ભારત સંકલ્પ યાત્રા તેના પાંચ રથ સાથે નવસારી જિલ્લામાં આગળ વધી રહી છે. યોજનાઓની વિગતો, કિટ્સ, કાર્ડ્સ, પુરસ્કારો અને પ્રમાણપત્રો લાભાર્થીઓમાં વિતરણથી સજ્જ છે
વિકસીત ભારત સંકલ્પ યાત્રા: નવસારી જિલ્લાનો ગ્રાઉન્ડ પરથી પ્રતિસાદ: “લોકોને તેમના ઘરઆંગણે સુવિધા મળી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે અને સરકારની પણ એક સિદ્ધિ છે.શ્રી ભરત પટેલ, યુકેના એનઆરજી, નવસારીના એંઘલ ગામ ખાતે સ્ટોલની મુલાકાત લેતા તેઓ અનુભવ્યું હતું કે, વિકસીત ભારત સંકલ્પ યાત્રા માત્ર સમાજના વિવિધ વર્ગના લોકોને જ નહીં પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પણ આકર્ષે છે. શ્રી ભરત પટેલ આવું જ એક ઉદાહરણ છે. તેઓ યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયા છે અને ત્યાં ફૂડ પ્રોસેસિંગના વ્યવસાયમાં રોકાયેલા છે. આ શિયાળામાં આ વૈશ્વિક ગુજરાતી ગુજરાતના વાર્ષિક પ્રવાસે છે. આજે તેઓ નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામે આયોજિત વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપી હતી. તેમણે સરકારની આ પહેલની પ્રશંસા કરી હતી