GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ સરદાર ભવન ખાતે વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધી ની પુણ્યતિથી ની ઉજવણી

તારીખ ૩૧/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કોંગ્રેસ પરીવાર દ્વારા ૩૧ ઓક્ટોબર,૨૦૨૩ને મંગળવારના રોજ સવારે દશ કલાકે કાલોલ કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે આપણા રાષ્ટ્રના લોખંડી પુરૂષ, ભારતરત્ન,૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૪૯મી જન્મજયંતિ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી,લોખંડી મહિલા, ભારતરત્ન ઈન્દિરા ગાંધીજીની ૩૯મી પુણ્યતિથિ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી અને સરદાર સાહેબ અને શ્રીમતિ ઈન્દિરા ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ડેલીગેટ દિલીપસિંહ ચૌહાણ,પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગનીભાઈ મન્સુરી, કાલોલ કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાનો ચંદ્રસિંહ સોલંકી અને ખ્રિસ્તી સાહેબ અને કાર્યકરો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.આજના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બદલ તમામનો ભુપેન્દ્રસિંહ ખેરે આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!