GUJARATTHARADVAV-THARAD

વજેગઢમાં પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પરમાર દ્વારા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિતે પ્રીતિ ભોજન

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વજેગઢ ગામમાં પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પરમાર દ્વારા થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિતે વજેગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ભાજપના જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસબેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, , ચારડા ગામના માજી સરપંચ મોહનભાઈ બોચિયા, વશરામ ભાઈ તલાટી,તેમજ ગામ ના લોકો શાળા ના આચાર્ય તથા તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક પ્રીતિ ભોજનનો લાભ લીધો હતો

 

Back to top button
error: Content is protected !!