ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં સગીર બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની શર્મશાર ઘટના બનતા ચકચાર
ડેડીયાપાડા તાલુકામાં એક બાદ એક બળાત્કારની ઘટનાઓ સામે આવતા ચિંતાનો વિષય
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકામાં અવારનવાર બળાત્કાર જેવી શર્મનાક ઘટનાઓ સામે આવી રહી છે તાલુકાના એક ગામમાં સીમમાં ઢોરો ચરાવા ગયેલ સગીરા સાથે ચાર નરાધમોએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના એક ગામની ૧૫ થી ૧૬ વર્ષની સગીર કિશોરી ગામની સીમમાં ઢોર ચારવા ગયેલ સગીરાને ઢોર ચારવતી એકલી જોતા આ બાળકી પર એક બાદ એક ચાર વ્યક્તિઓએ દુષ્કર્મ આચરી ગેંગરેપ કર્યો હતો.જેમાં જાણવા મળ્યા મુજબ દેડિયાપાડાના બંટાવાડી ગામના અલ્પેશ રાયસિંગ વસાવા, ખુમાનસિંગ સુરેશ વસાવા, નિતેશ રમેશ વસાવા તથા ગોવનજી રડવીયા વસાવા બે બાઈકો પર જતા હતા ત્યારે ગામની સીમમાં આ માસુમ બાળકી એકલી બાબરડેટી વગા વિસ્તારમા તેમના ઢોર ચારવતી ત્યારે આ સગીરાને એકલી જોઈને આ ચારેય આરોપીઓએ આવી બળજબરી પૂર્વક, તેની મરજી વિરુદ્ધ, જબરજસ્તી થી ચારેય નરાધમો એ વારા ફરથી કિશોરી પર દુસકર્મ આચર્યું ,જેમાં અલ્પેશ વસાવાએ બીજી વાર દુસ્કર્મ આચર્યું આમ ગેગરેપ કરી કુમળા ફૂલ જેવી આ સગીરાને પીંખીનાંખી ભાગી ગયા. ઘરે આવી સગીરાએ ઘરનાને આપવીતી જણાવતા પિતાએ ડેડીયાપાડા પોલીસને હકીકત કહી પોલીસે ચારેય નરાધમો સામે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સતત આ ત્રીજી દુષ્કર્મ ની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે જેમાં પહેલા
ડેડીયાપાડા તાલુકાના કાબરીપઠાર ગામ બાદ નીવાલદા ગામ અને ત્યારબાદ હવે સુકવાલ ગામમાં સગીર બાળકી પર બળાત્કાર ની ઘટના બનતા પંથક માં ચકચાર મચી જવા પામી છે અને એ તરફના વાલીઓ હવે બાળકીઓ માટે ચિંતિત બન્યા છે…
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.