કાલોલ: સ્વામિનારાયણ મંદિરમાં મોહિની એકાદશીએ ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર .
તારીખ ૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન–શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને વૈશાખ વદ એકાદશી-મોહિની એકાદશીએ ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર મનોરમ્ય કલાત્મક શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી.શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં.