GUJARATRAJKOTUPLETA

જામકંડોરણા ખેડુત નેતા વિઠલભાઈ રાદડીયા ચતુર્થ પુણ્યતીથી નિમિતે રાયડી પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન કરાવ્યું.

૧ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા તાલુકાના રાયડી પ્રાથમિક શાળાના બાળકોને તેમજ તરવડા પ્રાથમિક શાળા ના બાળકોને બટુક ભોજન કરાવતા રાયડી ગામના સરપંચ કાંતિભાઈ રાણપરીયા તેમજ પ્રદિપ ડોબરીયા અકસયભાઈ વેકરીયા દ્વારા બટુક ભોજન તરવડા મચ્છુ આઈ મંદિર ખાતે કરાવવામાં આવ્યું હતું
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન બોલાવી અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી

તેમજ તરવાડા મંદિર ખાતે સેલ્ફી પોઇન્ટને ખુલ્લો મુકતા રાજુભાઈ રાદડિયા તેમજ રાજકીય આગેવાનો

પરમ વંદનીય લોખંડી ખેડુત નેતા શ્રી વિઠલભાઈ રાદડીયા સાહેબની ચતુર્થ પુણ્યતીથી નિમિતે સમગ્ર સૌરાષ્ટ્ર,ગુજરાત અને ગુજરાતની બહાર અનેક જગ્યા ઉપર
૧૧૬ સ્થળો પર કાર્યક્રમ યોજાયા હતા

-રક્તદાન કેમ્પ થકી ૧૦૫૦૦ યુનીટ રક્ત એકઠુ થયુ હતું
-સર્વરોગ નિદાન થકી ૪૮૦૦ દર્દીઓએ લાભ લીધેલ હતો
-બટુકભોજ જુદી જુદી જગ્યાએ ૧૨૮૦૦ બાળકોએ પ્રસાદ લીધો હતો
વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવામા આવેલ
-જુદી જુદી ૧૧ ગૌશાળાઓમા નિરણદાન કરવામા આવ્યું હતું
-જુદી જુદી સરકારી શાળાઓમા ૧૦૦૦ બાળકોને પુસ્તક તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!