KARJANVADODARA

દસ દિવસ નું અતિથ્ય માણી ને આજે દશામાંને વિદાય આપવામાં આવી.

કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

નરેશપરમાર -કરજણ –

દસ દિવસ નું અતિથ્ય માણી ને આજે દશામાંને વિદાય આપવામાં આવી

કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

કરજણ તાલુકામાં હજારો ની સંખ્યા માં દશામાં ની મૂર્તિ ની સ્થાપના કરવાંમાં આવી હતી લોકો ઘરે આરતી પૂજા અર્ચના કરે છે.દસ દિવસનું અતિથ્ય માણી ને આજે રાતે કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે નર્મદા નદી માં દશામાં ની પ્રતિમા નું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો મઘરાત્રે ૧૨ વાગ્યાથી જ વિસર્જન માટે ચાલુ થયા ગયા હતા દસ દિવસ શ્રદ્ધા ભેર પૂજાઅર્ચના કરી ને અગિયાર માં દિવસે લોકો એ માતાજી ને દુઃખી મને વિદાય આપવામાં આવી હતી. ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ના નીર માં સતત વધારો થતો હોવાથી તંત્ર દ્વારા સાવચેતી ના પગલા લેતા બોટ દ્વારા નર્મદા નદીમાં લઈ જઈ ને માતાજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું કોઈ ઘટના ના બંને એ માટે મોટી સંખ્યામાં કરજણ પોલીસ સ્ટેશન તેમજ નારેશ્વર આઉટ પોસ્ટ ના પોલિસજવાનો તેમજ કરજણ ફાયર ની ટીમને ગોઠવી દેવામાં આવ્યા હતો

Back to top button
error: Content is protected !!