DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા નશીલે પદાર્થ થી દૂર રહેવા અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

ડેડીયાપાડા નશીલે પદાર્થ થી દૂર રહેવા અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 19/01/2024- અત્રે ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા જિ- નર્મદા ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પંચપ્રકલ્પ આઝાદી કા અમૃત મહોત્સવ અને એન. એસ. એસ દ્વારા સાયબર સિક્યોરીટી અને નશીલે પદાર્થો દુરપયોગ જાગૃતિ અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર પંડ્યા એ સાયબર એટેકવિશે વિવિધ માહિતી આપી સાથે પોતાની સાથે ફ્રોડ થાય તો એનાથી કેવી રીતે બચી શકાય ઓનલાઇન ફરીયાદ 1930 પર કોલ કરી સાયબર ફ્રોડ થી બચી શકાય સાથે 155260 હેલ્પલાઇન વિષે માહિતગાર કર્યા હતા અને નશીલે પદાર્થ થી દૂર રહેવા ની હાકલ કરી હતી.તેમજ કોલેજના આચાર્ય શ્રી ડો.અનિલાબેન પટેલે કાર્યક્રમ અનુસાર ઉદબોધન કર્યું હતું.ગૌરવ ગોયેલે આભાર દર્શન કર્યુ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌરવ ગોયેલે તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા તથા સંચાલન જયશ્રીબેન વસાવા એ કર્યુ હતુ. કાર્યક્રમના અંતે રાષ્ટ્ર ગાન કરી કાર્યક્રમ ને પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!