નસવાડી તાલુકા પંચાયતના આંગણામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રમદાન કાર્યકમ યોજાયો.
નસવાડી તાલુકા પંચાયત કચેરી માં જિલ્લા અને તાલુકાના ભારતિય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રમદાન કરી સ્વચ્છતા હિ સેવાનો કાર્યક્રમ કરવામા આવ્યુ બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે જેનાં અનુસંધાન માં દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તા 1.ઓકટોબરે એક કલાકના શ્રમદાનની હાકલ કરી છે ત્યારે સમગ્ર દેશના કરોડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નસવાડી ખાતે શ્રમદાન કર્યુ હતું અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉપાડ્યો છે ત્યારે. સૌ નાગરિકો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયત ના નવાં ચૂંટાયેલા પ્રમુખ ભાવના બેન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ડી એફ પરમાર નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચોહાણ તાલુકા મહામંત્રી અનીલશાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સફાઈ કરી મોદી સાહેબના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કર્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી