મહેસાણા ખાતે વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા જોટાણા ના પ્રાથમીક શાળાના આચાર્ય નુ કરાયુ સન્માન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર શિક્ષકોનું ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે મહેસાણા મુકામે વાત્સલ્ય ફાઉન્ડેશનના આયોજન તળે 23-08-2023 ના રોજ શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ઈન્દિરાનગર પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ ભરતકુમાર શંકરલાલ (જાકાસણીયા)ને તેઓની ઉમદા ઉત્કૃષ્ટ કામગીરી અન્વયે સાંસદ શારદાબેન પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવતાં શાળા પરિવાર ગ્રામજનોએ આનંદની લાગણી સાથે ટ્રસ્ટની શિક્ષણ પ્રવૃત્તિઓના સુંદર આયોજન બદલ ફાઉન્ડર ટ્રસ્ટી જોઈતાભાઈ પટેલ, પ્રમુખ શ્રેણિકભાઈ પટેલ, જશવંત પટેલ, મહેશ પટેલ સંજયભાઈ પટેલ તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો