ANANDANAND CITY / TALUKO

આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું

આણંદ, મંગળવાર :: સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે આણંદ તાલુકાના આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતા માર્ગના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર લોકસુખાકારીના કામો કરવા માટે કટિબધ્ધ છે. મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતો માર્ગ બનવાથી આંકલાવડી અને વહેરાખાડીના લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે આ તકે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં આણંદ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સંજયભાઇ પટેલ, આંકલાવડીના સરપંચશ્રી માલતીબેન ટાંટોડ, વહેરાખાડીના સરપંચશ્રી માધવભાઇ પરમાર સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં આંકલાવડી અને વહેરાખાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!