1/1/25-મહંત કૃષ્ણમણીજીનો જન્મ દિવસ

1 જાન્યુઆરીએ કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મદિવસે રક્તદાન કેમ્પ અને ફિઝિયોથેરાપીસ કેમ્પ નું આયોજન
જામનગર :(ભરત ભોગાયતા)
જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ધર્મના મુખ્ય વડા 108 શ્રીકૃષ્ણમણીજી મહારાજના 61માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારથી જ બપોર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. 1 જાન્યુઆરી, 2025ના બુધવારે સવારે 9:00 વાગ્યાથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક માં એકત્ર થયેલું લોહી જમા કરાવવામાં આવશે. જેથી માનવ જિંદગી બચાવવા માટે આ ભગીરથ કાર્યમાં જોડાવા સંતસભા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા દરમ્યાન જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગરના અગ્રણી જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડો. ચિરાગ બાબરીયા અને તેની ટીમ સેવા આપશે. ફિઝિયોથેરાપી કેમ્પ દરમિયાન અશક્ત અને વયો વૃદ્ધને અગ્રીમતા આપવામાં આવશે. જેમાં લાભ લેવા માટે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
_______________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





