BANASKANTHAGUJARATPALANPUR

અસમાપુરા(ગોળા) મુકામે બજાર સમિતિ ના  ચેરમેનશ્રી ફતાભાઈ ધરીયાનો સાકરતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો

28 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અસમાપુરા(ગોળા)ના વતની અને બજાર સમિતિ પાલનપુર ના ડીરેકટરશ્રી ડી.કે.રાણા સાહેબના ફાર્મ હાઉસ ઉપર બજાર સમિતિ પાલનપુરના ચેરમેન શ્રી ફતાભાઈ ધરીયા સાહેબ નો સાકરતુલા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,ખાસ ઉપસ્થિત પાલનપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ અને બનાસડેરી ના ડીરેકટરશ્રીઓ પાલનપુર વિભાગના ભરતભાઈ પટેલ, દાંતા વિભાગના, દિલિપસિંહ બારડ તેમજ બજાર સમિતિ પાલનપુર ના બોર્ડ ડિરેક્ટરશ્રીઓ લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ વળાગાંઠ, દિનેશભાઈ કુણિયા,ડો.શામળભાઈ ધરીયા મોઘજીભાઈ જેગોડા, હરેશભાઈ રાતડા,દિનેશભાઈ જુવા,મહેશભાઈ લોહ, બાબુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ,યશવંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ,મિતુલભાઈ મોદી,સેકટરીશ્રી હેમુભાઈ લોહ, કર્મચારી મિત્રો અને સહકારી સંસ્થામાં વિવિધ વિભાગો માંથી ચુંટાયેલા ડીરેકટરશ્રીઓ,પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી ચિમનભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી નાગજીભાઈ દેસાઈ,સભ્યશ્રી હસમુખભાઈ પઢીયાર તેમજ બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ પૂર્વ મેનેજરશ્રી ભેમજીભાઈ પટેલ વગદા તથા ખેડૂત આલમ તેમજ ગંજ બજારના વેપારી મિત્રો તથા રજપુત સમાજ ના મદારસિંહ હડીયોલ બાવન ઓટા કેળવણી પ્રમુખ,પૂર્વ પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ,દરબાર સમાજના દેવિસિંહજી પાવઠી,અભેસિંહજી, પ્રવિણસિંહ ચૌહાણ માલપુરીયા તેમજ અઢારે આલમના સામાજીક આગેવાનો ભાઈઓ,બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.પધારેલા મહેમાનોને આવકારી શ્રી ડી.કે.રાણા સાહેબ દ્વારા ફુલહારથી,સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગનું સંચાલન યુવા ખેડૂત આગેવાન શ્રી મેઘરાજભાઈ ચૌધરી (રૂપપુરા) દ્વારા કરવામાં આવ્યું હતું,

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!