GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પમાં 251 લોકોએ લાભ લીધો

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશ્યલિટી આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત લોકસેવા અને સમાજમાં અંધત્વ દૂર કરવાના હેતુથી વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પનું આયોજન સરપંચ ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલની વાડીમાં કરવામાં આવ્યુ હતું.જેમાં ટાંકા વગરનું અને દુખાવા રહિત અત્યાધુનીક વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન રાહતદરે ચશ્મા નંબર દૂર કરવાની સર્જરી તથા રાહત દરે ચશમાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 251 આંખના દર્દીઓની તપાસ,સારવાર અને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોતિયાના 61 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 40 લોકોના ઓપરેશન વિના મૂલ્યે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જ્યારે 142 જેટલા આંખના નંબર વાળા દર્દીઓને રાહતદરે ચશ્મા અપાયા હતા.કેમ્પ માટે ધર્મેશભાઈ પટેલ દ્વારા તેમની જગ્યામાં વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!