
નરેશપરમાર.કરજણ –
નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાયું, 27 ગામોને એલર્ટ જાહેર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાશે, કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળ સપાટી 136,76 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 10:00 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપવામાં આવી




