GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ના લાડોલ ગામે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ નો 31 મો સન્માન ઈનામી વિતરણ સમારોહ યોજાયો

સમાજના બાળકો ને ખોટા વ્યસન થી દૂર રહેવા સલાહ અપાઇ

વિજાપુર ના લાડોલ ગામે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ નો 31 મો સન્માન ઈનામી વિતરણ સમારોહ યોજાયો
સમાજના બાળકો ને ખોટા વ્યસન થી દૂર રહેવા સલાહ અપાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામ ખાતે શ્રી ગાયત્રી માતા ના મંદિર પરિસર ખાતે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજનો 31મો સન્માન તેમજ ઈનામી વિતરણ નો સમારોહ યોજાયો હતો.જેમા ધોરણ 10/12 સ્નાતક અનુસ્નાતક મા ઉચ્ચ ટકાવારી મા ઉતીર્ણ થયેલા તથા સરકારી નોકરી માંથી નિવૃત્ત થયેલ તથા સરકારી નોકરી મેળવનાર, ઉધોગિક સાહસિકો તથા સિનિયર સિટીઝનો ને પ્રતિષ્ઠિત પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે સમાજના અગ્રણી ડો એ ટી લેઉવા એ સમાજ માં ભણતા બાળકો ને વ્યસન થી તેમજ વગર કામનો મોબાઈલ નો ઉપયોગ નહિ કરવા જણાવ્યું હતુ તેમજ વ્યસન થી મુક્ત રહેવા સલાહ આપી હતી. ભણવા ઉપર વાલી જનો એ ખાસ ધ્યાન આપવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમ મા સમાજના અગ્રણી એમકે શાહ મેડિકલ કોલેજ ના ડીન ડો એટી લેઉવા વિઠ્ઠલ ભાઈ લેઉવા ભાનુભાઇ પરમાર ગામનાં સરપંચ નીતા બેન પટેલ સહિત મહાનુભાવો સહિત સમાજના બહેન દીકરીઓ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!