
તા.૨૭.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: દાહોદ જિલ્લા મુખ્ય કાર્યાલય પર ડો.હેડગેવાર સેવા સમિતિ ટ્રસ્ટ દાહોદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દ્રારા ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજરોજ તા.૨૬.૦૧.૨૦૨૬ ના સવારે ૦૮:૦૦ કલાકે ટ્રસ્ટ ના પ્રમુખ પ્રદીપભાઈ જૈન દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના અને જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને નગરના બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે દર વર્ષે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવે છે





