BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.

૨૭ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 77 મા પ્રજાસત્તાક દિને કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીના વરદહસ્તે ધ્વજ ફરકાવી પર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના સાંસ્કૃતિક વારસાને, આઝાદીના મૂલ્યોને તથા દેશભક્તિને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો, ગરબા અને નૃત્યો વગેરે કાર્યક્રમો આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ રજૂ કરી સાચા અર્થમાં દેશભક્તિ ઉજાગર કરી હતી.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ દેશભક્તોના બલિદાન, દેશની અખંડતા, સ્વચ્છતા અને દેશ સેવા જેવા વિષયો વિશે રોચક પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તથા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રમુખશ્રી તથા તમામ ફેકલ્ટીના આચાર્યશ્રીઓ અને સ્ટાફ મિત્રોના વરદહસ્તે ઈનામ રૂપે ચોપડા આપી વિદ્યાર્થીઓને અભિનય ક્ષમતાને બિરદાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!