મહીસાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત 8 લાખ 4000 ની સહાય પશુપાલકોને ચૂકવવામાં આવી

મહીસાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત 8 લાખ 4 હજારની સહાય અરજદાર પશુપાલકો ને ચુકવણું કરવામાં આવ્યું.
અમીન કોઠારી મહીસાગર
તા.૧/૯/૨૪

જિલ્લામાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી, તણાઈ જવાથી તથા મકાનની દીવાલ પડવાથી કુલ 35 પશુના મૃત્યુ થયા હતા જે પૈકી 35 પશુ મૃત્યુ સહાય અંતર્ગત રૂ.8,04,000 નું તાત્કાલિક અરજદારોને ચૂકવવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 02, સંતરામપુર તાલુકામાં 10, કડાણા તાલુકામાં 04, વીરપુર તાલુકાના 07 અને બાલાસિનોર તાલુકામાં 02 પશુઓના મૃત્યુ થયા હતા જે તમામ પશુ મૃત્યુ અંતર્ગત સહાય તંત્ર દ્વારા ચુકવણી કરવા આવેલ છે.


