BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ખ્વાજા ગરીબ નવાઝ નો આજે 813 મો ઉર્ષ ઉજવાયો, દુનિયાભર માથી ભાવિકો ઉમટી પડયા.

સમીર પટેલ, ભરૂચ
ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલ અજમેર શહેર સ્થિત ખવાજાએ હિંદલ વલી અને ગરીબ નવાઝના નામોથી પ્રચલિત સૂફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તી અજમેરી નો આજરોજ 813 મો ઉર્ષ ભારે ભાવિકોની હાજરીમાં ઉજવાઈ રહ્યો છે. જેમાં દુનિયા ભરમાંથી હજારોની સંખ્યામાં દરેક ધર્મના ભાવિકો ઉમટી પડયા હતા. આ ઉર્ષ ઇસ્લામિક માસના 7મા મહિનો *રજજબ માસ* ની પહેલી તારીખથી શરૂ થાય છે અને 6 દિવસ ચાલી છઠ્ઠી તારીખે સંપૂર્ણ થાય છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજે સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે ખુરાન ખવાની નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સમસ્ત નબીપુર ગામ વતી ખ્વાજા સાહેબની શાનમાં નિયાઝ નું આયોજન કરાયું હતું.



