GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં યોજાનારી ઈ.પી.એફ.ઓ.ની પરીક્ષા અન્વયે પોલીસ કમિશ્નરે જારી કરેલા આદેશો

તા.૨૭/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન માટે આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર/ એકાઉન્ટ ઓફિસરની સંયુક્ત પરીક્ષાનું તા.૩૦/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦થી ૦૧.૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરના કુલ ૦૪ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ કમિશ્નરશ્રી બ્રિજેશ કુમાર ઝા દ્વારા નીચે મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.

(૧) રાજકોટ શહેરના જે-જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે. તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં.

(ર) પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન અને ફેકસ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. અને ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. તેમજ શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહી.

(૩)પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, ટેબ્લેટ, આઈ-પેડ, સ્માર્ટ વોચ જેવા ડીજીટલ ઉપકરણો ઇલેકટ્રોનીક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.

(૪) શાળા-કોલેજોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહી. શાળા(પરીક્ષા કેન્દ્ર)આજુબાજુની ૨૦૦ મીટરની ત્રિજયામાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહી. સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ, તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓ ( પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહી.), કોઈ લગ્નના વરધોડાને, કોઈ સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ જી.આર.ડી.ના અધિકારી તથા જવાનોને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!