GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામડામાંથી 60 વર્ષીય વૃદ્ધા એ 181 તેમની મદદ માગી જણાવ્યું કે કુટુંબીજનો ડાકણ કહી માનસિક ત્રાસ આપે છે

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામડામાંથી 60 વર્ષીય વૃદ્ધા એ 181 તેમની મદદ માગી જણાવ્યું કે કુટુંબીજનો ડાકણ કહી માનસિક ત્રાસ આપે છે

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામડામાંથી એક 60 વર્ષીય વૃદ્ધાએ 181 પર ફોન કરીને મદદ માગી હતી તો ડ્યુટી પર હાજર મહીસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધાની હકીકત જાણી તો તેમનો જેઠ નો છોકરો બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા તો જેઠના પરિવારના સભ્યો વૃદ્ધાને ડાકણ કહી માનસિક ત્રાસ આપતા હતા અને તે છોકરાને તે મારી નાખ્યો છે તેવો આરોપ મુકતા હતા તથા મારી નાખવાની ધમકી આપતા હતા અને બે વર્ષથી ડાકણ કહી ત્રાસ આપતા હતા તથા આખા ગામમાં ડાકણ છે તેવી ચર્ચા કરતા હતા આ હકીકત સાંભળી તેમના જેઠના ઘરના સભ્યો સાથે વાતચીત કરી સમજાવ્યા કે આવી કોઈ અંધ શ્રદ્ધામાં રહેવું નહીં તથા આવું હોઈ શકે નહીં અને વૃદ્ધાને ખોટી રીતે હેરાન કરવા નહીં અને ખોટા આરોપ મૂકવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તો જેઠના પરિવારના સભ્યોને આ વાત સમજમા આવી હતી તથા જણાવતા કે હવે પછી અમે કોઈપણ રીતે હેરાન કરીશું નહીં તથા ડાકણ જેવા શબ્દનો પ્રયોગ કરીશું નહીં તથા છોકરાને મારી નાખ્યો તેવા શબ્દો વાપરશું નહીં આથી વૃદ્ધાને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું અને વૃદ્ધાએ તથા તેમના પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!