ઝઘડીયા તાલુકાના અશા ખાતે આજ રોજ નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો .
દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા દ્વારા ઝઘડિયા તાલુકાના અશા નિરલોભી આશ્રમ ખાતે ની શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સેવારૂરલ હોસ્પિટલ ના અનુભવી તજજ્ઞો દ્વારા 241 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં મોતિયાના દર્દીઓને મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ દર્દીને ચશ્માંનું પણ વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું હતું અશા તેમજ આજુબાજુ ના ગામ ના જરૂરિયાત મંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી