GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બાલભવન ખાતે તા. ૧૨ થી ૧૪ જુલાઈના શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર યોજાશે

તા.૯/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, પરમ કથ્થક કેન્દ્ર, રાજકોટ તથા બાલભવન રાજકોટના સહયોગથી શાસ્ત્રીય નૃત્ય શિબિર કથ્થક કાર્યશાળા તા. ૧૨,૧૩,૧૪ જુલાઇ ૨૦૨૪ના રોજ બાલભવન, રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે. શાસ્ત્રીય નૃત્ય શિબિરમા તજજ્ઞ ગુરુશ્રી ચેતન સરૈયા (નૃત્ય તપસ્યા કથ્થક સ્કુલ મુંબઇ) દ્વારા તાલીમ આપવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા કલાકારશ્રીઓએ પલ્લવીબેન વ્યાસ મો.નં ૯૪૨૭૨૧૭૫૯૮ પર રજીસ્ટેશન કરાવી કોર્મ ભરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવવામા આવ્યું છે.

Back to top button
error: Content is protected !!