સદગુણો,પરિશ્રમ અને સમાજસેવાનો સમન્વય
મિતભાષી મનસુખભાઇનો હેપ્પી બર્થડે
જામનગર (ભરત ભોગાયતા)
સમાજ જીવનમાં અનેક વિરલાઓ ઉદાહરણ રૂપ હોય છે તેમનામાં વ્યક્તિત્વ વિકાસ,સુઝબુઝ,સદાચાર,સમાજ સેવા વગેરે યુવાન વયથી જ અલગ તરી આવે છે વ્યવસાય ક્ષેત્રમાં સફલકતા ખૂબ જ અગત્યની છે સાથે સાથે સમાજ માટે શું કરવુ? તે જાણીને તે દિશામાં અવિરત કામ કરનારાઓએ જાતે નથી બોલવુ પડતુ તેમના કામ બોલે છે મૌન રહી પ્રગતિ કરતા મનસુખભાઇ નુ એવુ જ છે ઓછુ બોલવુ અને વધારે કામ કરવુ તેઓ જણાવે છે કે સફળ થવા માટે દ્રઢ નિશ્ર્ચય અને કઠોર પરિશ્રમ ખૂબ જરૂરી છે આ સાર્થક થઇ જાય એટલે સફળતા મળે અને એ સફળતાનુ ગૌરવ હોય ગુમાન ન હોય એ સદગુણ છે અને સદગુણથી સમાજસેવા પણ દીપી ઉઠે છે સફળ વ્યક્તિનો અનુભવ દરેક માટે પથ કંડારે છે પ્રેરણા આપે છે અને સમાજ માટે વિવિધ આયામથી ઉપયોગી બને છે
આવા જામનગર લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ અને જય કેબલનાં ધરોહર મનસુખભાઈ રાબડીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી છે
વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિધાર્થી પરીષદનાં પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદારી સંભાળેલ હતી. અખીલ ભારતીય વિધાર્થી પરીષદ દ્વારા ૧૯૯૦ માં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં બે ટર્મ જિલ્લા મહામંત્રી તથા બે ટર્મ જિલ્લા પ્રમુખ તરીકે, રોટરેકટ કલબ જામનગરનાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ તથા
સેટરી ઇન્ટરનેશનલ કલબ માં પણ ઘણા વર્ષો સુધી સક્રિય પણે કાર્ય કર્યું હતું. જામનગર શહેર જિલ્લામાં દૂરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્વારા કેબલ ટીવી નો ૧૯૮૭ માં સૌ પ્રથમ પાયા નાખ્યો હતો અને કેબલ ટીવી મારફત ઇલેટ્રોનિક્સ મીડીયામાં સ્થાનીક સમાચાર ૧૯૯૮ થી સરૂ કરી ગુજરાતમાં ઇલેટ્રોનિકસ મીડીયાનાં પત્રકાર તરીકે સૌ-પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળવ્યું હતું. બદલાતી જતી ટેક્નોલોજીનાં જમાનામાં તાલથી તાલ મેળવી સમયની માંગ મુજબ વ્યવસાયનો વિકાસ કરતા આજે જ્યારે કેબલ નેટવર્કમાં મલ્ટીનેશનલ કંપનીઓ વ્યવસાય કરી રહી છે ત્યારે જય કેબલનાં સ્વતંત્ર આધુનિક કંટ્રોલરૂમ દ્વારા જિલ્લાનાં મહત્તમ સ્થાનો પર ચેનલોનું પ્રસારન લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ૨૦૧૮ થી જામનગર શહેર જિલ્લામાં અંદાજીત અઢી લાખથી વધુ વસ્તી ધરાવતા લેઉવા પટેલ જ્ઞાતિનાં સૌથી નાની વયે પ્રમુખ તરીકે તથફ જામનગર જિલ્લા ખોડલધામ સમાધાન પંચનાં અધ્યક્ષ અને સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા મોખરે રહેતી શ્રી આણદાબાદ સેવા સંસ્થા સંચાલીત શ્રી આણંદાબાવા અનાથાલય તેમજ શ્રી આણદાબાવા મહિલા વૃધ્ધાશ્રમ તથા શ્રી રામ મુકબધિર વિધાવિહાર ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમને મો. ૯૮૨૪૨ ૬૪૪૪૪. ઉપર અઢળક શુભેચ્છાઓ મળી રહી છે
અગેઇન હેપ્પી બર્થ ડે ટુ મનસુખભાઇ
💐🌹💐🌹💐
_________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com