દેશી શાકભાજી અને અનાજ કઠોળના બીજનો સંગ્રહ કરીને પ્રકૃતિનું જતન કરી ને બીજ બેંક ની રચના કરતા ગામડાનો એક ખેડુત દંપતી પરિવાર કેશોદના ટીટોળી ગામના ખેડુત દંપતીએ છેલ્લા ત્રેવીસ વર્ષથી આપણી લુપ્ત થતી દેશી શાકભાજી,અનાજ,કઠોળના ભારત ભરમાં સૃષ્ટિ સંસ્થા અમદાવાદ દ્વારા યોજાતી શોઘ યાત્રામાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે નિરોગી જીવન ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ એ સુત્રને સાથે રાખી ઝેર મુક્ત જીવન ના સ્લોગન નો સથવારે આ પરિવાર ભાડે થી ખેતીની જમીન રાખી ને આશરે અલગ અલગ જાતનાસફેદ ગલકા,તુરિયા,ચેરી,ટામેટા,વાલોર,સફેદ ભીંડો,દુધી,ચીભંડા,દેશી ગુવાર,રીંગણા,જેવા શાકભાજી નો અસલી સ્વાદ આપને અનુભવી શકીએ છીએ,પુરા ભારત ભરમાં થતા વિવિધ અનાજ, કઠોળ અને શાકભાજી ના દેશી બીજની ૩૫૦થી પણ વઘારે જાતના દેશી બીજ એકઠા કરી બીજ બેંક ની સ્થાપના કરી ખેડુતો ને નહીં નફો નહીં નુકસાની ના ધોરણે કુરિયર દ્વારા બીજ પહોંચતા કરે છે અને સાથે સાથે બીજા નું સંવર્ધન અને સરક્ષણ કરે છે જેમ ને ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા માન સન્માન અને વિવિધ એવોર્ડ મેળવી ને કેશોદ પંથકનું ગૌરવ વધાર્યું છે આવો એક વખત આ માણસ ને મળવા જેવું તો છે ખરા અર્થ માં મળવા જેવો માણસ
બાયલાયન – અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ