GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરાયું

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા અનેક રસ્તા-પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સૂચના આપી છે.
જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં માર્ગ-મરામતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ (NH-927D) પર પેચવર્ક કરવામાં આવ્યું છે. ખાડાઓ અને ઉબડખાબડ સપાટીને સમારકામ કરીને આ રોડ મોટરેબલ બનાવવામાં આવ્યો છે. જેથી, રાયડી, તરવડા અને વેગડી ગામના લોકોને આવનજાવનમાં સરળતા રહેશે. તેમજ વરસાદના લીધે ખરાબ રસ્તાથી પરેશાન વાહનચાલકોને રાહત મળી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



