નર્મદા જિલ્લા ના પિંડોલી ખાતે હઝરત કમાલશાહબાબા ની દરગાહ પર શાનદાર ઉર્ષ નું કરાયુ આયોજન : દરગાહ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા
વસિમ મેમણ / નર્મદા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ખાતે હઝરત કમાલશાહ બાબા ની દરગાહ આવેલી છે. અને અહિયાજ હઝરત સલામતપીર ની દરગાહ પણ આવેલી છે. આ દરગાહ ઉપર દરેક ધર્મ ના લોકો આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે આ દરગાહ ઉપર શાનદાર ઉર્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતા માં દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરગાહ ઉપર ફૂલ અને ચાદર ચડાવી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના પિંડોલી ખાતે હજરત કમાલશાહ બાબા ની દરગાહ આવેલી છે. અને અહીંયા જ હજરત સલામત પીર બાબા ની દરગાહ પર આવેલી છે. આ દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મ ના લોકો ની ભારે શ્રધ્ધા અને આસ્થા રહેલી છે. દૂર દૂરથી શ્રદ્ધાલુઓ આ દરગાહ ઉપર આવતા હોય છે અને કુલ ચાદર ચડાવી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે આ દરગાહ ઉપર શાનદાર ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યું. આ ઉર્શમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરગાહ ઉપર ચાદર ફૂલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. આ ઉર્ષ દરમિયાન બપોરના બે કલાકે ઓરા ગામે થિ સંદલ સરીફ સાથે શાનદાર ઝુલુસ નીકળ્યું હતું અને ઓરા ગામે ઝુલુસ ફરી પિંડોલી દરગાહ ખાતે ઝુલુસ નું સમાપન કરવામાં આવ્યું ત્યારે બાદ બાળકો વચ્ચે સ્પર્ધા ની આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા માં બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યાર બાદ આમ ન્યાજ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ લાભ લીધો હતો. ત્યાર બાદ શાનદાર કવાલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક થિ એક કવ્વાલી રજૂ કરતા સૌ કોઈ જુમી ઉઠ્યા હતા અને ભારે ઉત્સાહ અને કોમી એકતા સાથે કમાલશાહ બાબા ની દરગાહ પર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી